ભારતમાં હિંદુઓની વસ્તી ઘટી છે અને મુસ્લિમોની વસ્તી વધી છે. સરકારી પેનલના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. માત્ર ભારતમાં જ નહીં, નેપાળમાં પણ હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ અધ્યયન ૧૯૫૦ થી ૨૦૧૫ ની વચ્ચે ભારતમાં વસ્તી વિષયક પરિવર્તન વિશેની માહિતી પ્રદાન કરે છે.

ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ મુસલમાનોની સંખ્યા વધી છે. સરકારી પેનલે 65 વર્ષનો અભ્યાસ કર્યો છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે. માત્ર ભારત જ નહીં, નેપાળ અને મ્યાનમારમાં પણ હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અભ્યાસ મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમોની સંખ્યા વધી છે. બાંગ્લાદેશમાં મુસ્લિમ વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે, જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો 10 ટકા છે.
Rafah attack: 48 કલાકમાં રફામાં ઇઝરાયલે મચાવી તબાહી, બોર્ડર ખોલવા માટે પણ સહમત ન થયા
૧૯૫૦ થી ૨૦૧૫ ની વચ્ચે ભારતમાં વસ્તી વિષયક પરિવર્તન વિશેની માહિતી પ્રદાન કરે છે. ભારતમાં હિન્દુઓની સંખ્યા સંકોચાઈ ગઈ છે ત્યારે લઘુમતી મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખોની સંખ્યા વધી છે. 1950થી 2015 વચ્ચે ભારતમાં મુસ્લિમ વસ્તીમાં 43.15 ટકાનો વધારો થયો છે. ખ્રિસ્તીઓમાં ૫.૩૮ ટકા, શીખોમાં ૬.૫૮ ટકા અને બૌદ્ધધર્મમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.
ગુજરાત બોર્ડનું 12મું પરિણામ 2024 જાહેર, આ રીતે ચેક કરો
અભ્યાસ શું કહે છે?
અભ્યાસ અનુસાર 1950માં હિંદુ વસ્તી 84.68 ટકા હતી, જે 2015માં ઘટીને 78.06 ટકા થઈ ગઈ છે. મ્યાનમાર બાદ ભારતમાં સૌથી વધુ હિન્દુ વસ્તી છે. મ્યાનમારમાં પણ હિન્દુ વસ્તીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ૧૬૭ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ સૌથી વધુ છે. ભારતીય ઉપખંડમાં માલદીવને બાદ કરતાં તમામ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં તેમનો હિસ્સો વધ્યો છે.
1971માં અસ્તિત્વમાં આવેલા બાંગ્લાદેશમાં મુસ્લિમ વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે. બહુમતી ધાર્મિક જૂથના હિસ્સામાં આ પ્રકારનો આ સૌથી મોટો વધારો છે. પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે.
નેપાળમાં ત્રણ મુખ્ય ધર્મોમાંથી બહુમતી હિન્દુ વસ્તીના હિસ્સામાં 4 ટકાનો ઘટાડો થયો છે, બૌદ્ધ વસ્તીનો હિસ્સો 3 ટકા ઘટ્યો છે, જ્યારે મુસ્લિમ વસ્તીના હિસ્સામાં 2 ટકાનો વધારો થયો છે.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



