રાહુલ દ્રવિડ 2021માં પહેલીવાર ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. તેણે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. દ્રવિડનો કાર્યકાળ 2 વર્ષનો હતો. આ પછી દ્રવિડનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ 2024 સુધી વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઇ ટૂંક સમયમાં જ નવા કોચને શોધવા માટે પગલાં લેવા જઇ રહ્યું છે.
પુતિનના 3 શબ્દોથી નાટો જૂથમાં ખળભળાટ, યુક્રેનના રાષ્ટ્રપતિએ આ આરબ નેતાને ફોન

જય શાહે રાહુલ દ્રવિડ વિશે કહ્યું કે તેમનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. પણ, જો તે ભારતીય ટીમના કોચ તરીકે જારી રહેવા માગતો હોય તો તે ફરી અરજી પણ કરી શકે છે. બીસીસીઆઇના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, હેડ કોચની પસંદગી થયા બાદ તેમની સલાહ પ્રમાણે કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો જેવા કે બેટીંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અંગેનો નિર્ણય લેવામાં આવશે. શાહે આ વાટાઘાટો દરમિયાન વિદેશી કોચની શક્યતાને પણ નકારી કાઢી નહતી.
ટીમ ઈન્ડિયાને મળશે નવા મુખ્ય કોચ
“અત્યારે હું કહી શકું તેમ નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. આ નિર્ણય ક્રિકેટ સલાહકાર સમિતિ લેશે. જોકે તેમણે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની જેમ દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવાની શક્યતા તરફ ઈશારો કર્યો નથી. આ પાછળનું કારણ એ હતું કે ટીમમાં ઘણા બધા ઓલ ફોર્મેટ ખેલાડીઓ હતા. જય શાહના મતે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કોચ હોવાથી આ ખેલાડીઓને એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી શકે છે.
કાર્યકાળ ઓછામાં ઓછો 3 વર્ષનો હશે
બીસીસીઆઇના સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે, ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની પસંદગી લાંબા ગાળા માટે કરવામાં આવશે. તેમનો પ્રારંભિક કાર્યકાળ ઓછામાં ઓછો ૩ વર્ષનો રહેશે. રાહુલ દ્રવિડની પહેલી ટર્મ 2 વર્ષ માટે હતી. વર્ષ 2021માં તેમણે રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી. દ્રવિડનો પ્રથમ કાર્યકાળ વનડે વર્લ્ડ કપ 2023 માટે હતો. પરંતુ, આ પછી, તેમનો કાર્યકાળ ફરીથી ટી 20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.
Author: Sanatan News Gujarat
કલમ ધારદાર, ખબર ની આર પાર



